દેશભરમાં દેવીપુજક પટણી સમાજ ગમે ત્યાં રહેતા હોય સ્વજનોના મૃત્યુ પછી અસ્થિ કુંભ હરદ્વાર કાશી ગંગા થી પણ અતિ વિશેષ એવા પાટણ ખાતેના દેવીપુજકોના સ્મશાન ગૃહોમાં લાવી દિવાસાના દિવસે તેમનું પૂજન વિધિ કરી પરંપરાને જીવંત રાખી છે તેમાં ભારતીય મહાન સંસ્કૃતિના દર્શન થતા જોવા મળે છે તેથી પહેલો દિવસો અષાઢ વદ ચૌદશના દિવસે પાટણમાં થાય છે અને બીજા દિવસે એટલે કે અષાઢવદ અમાસના દિવસે દેશભરમાં દેવીપુજકો જ્યાં જ્યાં વસે છે ત્યાં આ પર્વની ઉજવણી કરે છે દિવાસાના દિવસે મહિલાઓ બાળકો સહિત સહ પરિવાર સ્મશાન ગૃહમાં જઈ મહિલાઓ રુદન કરતી જોવા મળે છે આ અનોખી પરંપરા નિભાવવા માટે આશરે એક લાખ કરતા વધુ દેવીપુજક સમાજ પુષ્પાંજલિ આપવા માટે પાટણ અચૂક આવે છે