હારીજ ખાતે ખાતર લેવા માટે જગતનો તાત લાઈનો લગાવે છે
શહેરમાં ખાતરના વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને ખાતર ના મળતુ હોવાની બુમરાડ ઉઠવા પામી છે ખેડૂતોને પોતાના પાકોને જરૂરિયાત પ્રમાણે ખાતર આપતો હોય છે જેને લઇ ખેડૂતો ને ઉત્પાદનમાં સારુ એવું ઉત્પાદન પ્રાપ્ત થાય છે અને પોષણસમ ભાવ મળી રહે છે જેને લઇ ખેડૂતો ને પોતાની આજીવિકા પ્રમાણે વળતર મળી રહેતું હોય છે ત્યારે અત્યારે હાલ ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત પ્રમાણે ખાતર નહીં મળતું હોવાની ખેડૂતોની જણાવી રહ્યા છે ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા છે ખેતરોના કામ પડતા મૂકીને લાઈનોમાં ઊભા રહ્યા છે સરકારના કૃષિ મંત્રી દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર હોવાનુ કહી રહ્યા છે ખેડૂતોને આશા આપી રહ્યા હોય છે ત્યારે ખુશી મંત્રીને ત્યાં ખબર છે ખેડૂતો બે ત્રણ દિવસ ના ધક્કા ખાઈને પાછા જવું પડે છે ત્યારે માંડ બે થેલી ખાતર મળે છે જ્યારે ખેડૂતોને પોતાના પાકો ની જરૂરિયાત પ્રમાણે આઠથી દસ થેલી ની જરૂરિયાત હોય ત્યારે બે થેલી વિક્રેતા દ્વારા વેચાણ કરવામાં આવે છે તે પણચાર પાંચ કલાક લાઇનમાં ઊભા રહીને મળે છે સરકારનો પુરતા પ્રમાણમાં ખાતર હોવાનું આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને જગતનો તાત લાઇનમાં ઊભા રહ્યા છે